પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નઈમાં G20 પર્યાવરણ અને આબોહવા મંત્રીઓની બેઠકમાં સંબોધન કર્યું
Live TV
-
તેમણે જણાવ્યું કે, ભારતે વર્ષ 2070 સુધીમાં 'નેટ ઝીરો' હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ચેન્નઈમાં G20 પર્યાવરણ અને આબોહવા મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું. ચેન્નઇમાં મહાનુભવોને આવકારતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ શહેર સંસ્કૃતિ અને ઇતિહાસમાં સમૃદ્ધ છે. તેમણે તેમને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા મમલ્લાપુરમના 'મસ્ટ વિઝિટ' ડેસ્ટિનેશનની શોધ કરવા પણ વિનંતી કરી હતી અને કોઈ પણ વ્યક્તિ પથ્થરની કોતરણી અને તેની મહાન સુંદરતાનો અનુભવ કરી શકે છે.
આશરે બે હજાર વર્ષ અગાઉનાં મહાન કવિ થિરુવલ્લુવરને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જો વાદળોએ પાણી ખેંચ્યું છે, તો મહાસાગરો પણ સંકોચાઈ જશે, જો તે વરસાદ સ્વરૂપે તેને પાછું નહીં આપે." પ્રકૃતિ અને ભારતમાં શિક્ષણના નિયમિત સ્ત્રોત બનવાની રીતો વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ અન્ય એક સંસ્કૃત શ્લોકને ટાંકીને સમજાવ્યું હતું કે, "ન તો નદીઓ પોતાનું પાણી પીવે છે અને ન તો વૃક્ષો તેમના પોતાના ફળ ખાય છે. વાદળો પણ તેમના પાણી દ્વારા ઉત્પાદિત અનાજનો વપરાશ કરતા નથી. પ્રધાનમંત્રીએ પ્રકૃતિ આપણને પ્રદાન કરે છે તે રીતે પ્રકૃતિને પ્રદાન કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ધરતી માતાનું રક્ષણ કરવું અને તેની સારસંભાળ રાખવી એ આપણી મૂળભૂત જવાબદારી છે અને આજે તેણે 'ક્લાઇમેટ એક્શન'નું સ્વરૂપ ધારણ કર્યું છે, કારણ કે ઘણાં લાંબા સમયથી આ કર્તવ્યની અવગણના ઘણા લોકો કરતા હતા. ભારતના પરંપરાગત જ્ઞાનને આધારે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ક્લાઇમેટ એક્શન 'અંત્યોદય'ને અનુસરવું જોઈએ, જેનો અર્થ એ છે કે સમાજમાં છેવાડાની વ્યક્તિનો ઉદય અને વિકાસ સુનિશ્ચિત કરવો. ગ્લોબલ સાઉથના દેશો ખાસ કરીને આબોહવામાં ફેરફાર અને પર્યાવરણને લગતા મુદ્દાઓથી પ્રભાવિત છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ 'યુએન ક્લાઈમેટ કન્વેન્શન' અને 'પેરિસ એગ્રીમેન્ટ' હેઠળની કટિબદ્ધતાઓ પર કાર્યવાહી વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, કારણ કે તે આબોહવાને અનુકૂળ રીતે વૈશ્વિક દક્ષિણને તેની વિકાસલક્ષી આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થવા માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.
પ્રધાનમંત્રીએ એ જાણકારી આપતાં ગર્વની લાગણી વ્યક્ત કરી હતી કે, ભારતે તેના મહત્ત્વાકાંક્ષી 'રાષ્ટ્રીય સ્તરે નિર્ધારિત યોગદાન'માં આગેવાની લીધી છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, વર્ષ 2030નાં લક્ષ્યાંકથી 9 વર્ષ અગાઉ બિન-અશ્મિભૂત ઇંધણનાં સ્ત્રોતોમાંથી સ્થાપિત વીજળીની ક્ષમતા હાંસલ કરવામાં આવી છે અને હવે અદ્યતન લક્ષ્યાંકો મારફતે આ મર્યાદા વધારે ઊંચી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અત્યારે ભારત સ્થાપિત પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાની દ્રષ્ટિએ દુનિયામાં ટોચનાં 5 દેશોમાંથી એક છે. તેમણે જાણકારી આપી હતી કે, દેશે વર્ષ 2070 સુધીમાં 'નેટ ઝીરો' હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, ભારત આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, સીડીઆરઆઈ અને 'લીડરશીપ ગ્રુપ ફોર ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન' સહિત જોડાણ મારફતે તેના ભાગીદારો સાથે જોડાણ કરવાનું ચાલુ રાખશે.
પ્રધાનમંત્રીએ જૈવવિવિધતાના સંરક્ષણ, સુરક્ષા, પુનઃસ્થાપન અને સંવર્ધન પર સતત પગલાં લેવા પર પ્રકાશ પાડતાં કહ્યું હતું કે, "ભારત વિશાળ વિવિધતા ધરાવતો દેશ છે." તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, જંગલોમાં લાગેલી આગ અને ખાણકામને કારણે અસર પામેલી પ્રાથમિકતાને 'ગાંધીનગર અમલીકરણ રોડમેપ એન્ડ પ્લેટફોર્મ' મારફતે માન્યતા આપવામાં આવી છે. તેમણે પૃથ્વી પરની સાત મોટી બિલાડીઓનની પ્રજાતિના સંરક્ષણ માટે તાજેતરમાં શરૂ કરવામાં આવેલા 'ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ'નો ઉલ્લેખ કર્યો હતો અને સંરક્ષણની અગ્રણી પહેલ 'પ્રોજેક્ટ ટાઇગર'ને શીખવાનો શ્રેય આપ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, પ્રોજેક્ટ ટાઇગરના પરિણામે આજે ભારતમાં વિશ્વના 70 ટકા વાઘ જોવા મળે છે. પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટ લાયન અને પ્રોજેક્ટ ડોલ્ફિન પર ચાલી રહેલી કામગીરી વિશે પણ વાત કરી હતી.
ભારતની પહેલો જનભાગીદારીથી સંચાલિત છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ 'મિશન અમૃત સરોવર'નો ઉલ્લેખ કર્યો હતો, જે જળ સંરક્ષણની વિશિષ્ટ પહેલ છે, જ્યાં ફક્ત એક વર્ષમાં 63,000થી વધારે જળાશયો વિકસાવવામાં આવ્યાં છે. તેમણે માહિતી આપી હતી કે, આ મિશન સંપૂર્ણપણે સમુદાયની ભાગીદારી મારફતે લાગુ કરવામાં આવ્યું છે અને ટેકનોલોજીની મદદથી થયું છે. તેમણે 'કેચ ધ રેઇન' અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના પગલે આશરે 2,50,000 પુનઃઉપયોગ અને રિચાર્જ સ્ટ્રક્ચર્સના નિર્માણની સાથે પાણીના સંરક્ષણ માટે 280,000થી વધુ જળ સંચય માળખાનું નિર્માણ થયું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "આ તમામ બાબતો જનભાગીદારી મારફતે હાંસલ કરવામાં આવી છે તથા સ્થાનિક જમીન અને પાણીની સ્થિતિ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે." છે.
સંબોધનના સમાપનમાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે પ્રકૃતિ માતા પ્રત્યેની આપણી ફરજો ભૂલવી ન જોઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, G20 પર્યાવરણ અને આબોહવા મંત્રીઓની બેઠક ફળદાયક અને સફળ રહેશે. "માતા પ્રકૃતિ ખંડિત અભિગમની તરફેણ કરતી નથી. તેમને "વસુધૈવ કુટુંબકમ" - વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર" પસંદ છે, એમ જણાવ્યું હતું.
