પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં જાહેર સભાને સંબોધી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક જાહેર સભાને સંબોધી હતી. પ્રધાનમંત્રીએ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, જમ્મુ અને બારમુલ્લામાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન કરીને આતંકવાદીઓના આકાઓ અને મહામિલાવટી લોકોને જોરદાર જવાબ આપ્યો હતો. આ ઉપરાંત પીએમ મોદીએ વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાજનીતિ અને ચૂંટણી તેના સ્થાને છે. સાથે રાજ નેતાઓ આવતા જતા રહે છે. પણ આપણો દેશ સર્વોપરી છે. પીએમ મોદીએ કહ્યું કે, રાષ્ટ્ર છે તો, રાષ્ટ્રવાદ છે. પણ અમુક લોકો મોદીના વિરોધમાં એટલા ગરકાવ થઈ ગયાં છે કે, તેઓને રાષ્ટ્રાવાદ ભુલાઈ ગયો છે. આ ઉપરાંત પીએમ મોદી ઉત્તરપ્રદેશના અલીગઢ ખાતે જનસભાને સંબોધી હતી ત્યાં તેમણે આંબેડકર જયંતી નિમિત્તે બાબા સાહેબ આબેડકરને યાદ કર્યા હતા. તેમજ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. પ્રધાનમંત્રી મુરાદાબાદ ખાતે પણ ચૂંટણી રેલીને સંબોધન કરશે.