પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન કાર્યક્રમને સંબોધિત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે દિલ્હી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહના સમાપન સમારોહને સંબોધિત કરશે. આ દરમિયાન તેઓ દિલ્હી યુનિવર્સિટી કોમ્પ્યુટર સેન્ટર, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી બિલ્ડિંગ અને એકેડેમિક બ્લોકનો શિલાન્યાસ પણ કરશે. આ બિલ્ડીંગો યુનિવર્સિટીના નોર્થ કેમ્પસમાં બનાવવામાં આવશે.
દિલ્હી યુનિવર્સિટીની સ્થાપના 1 મે, 1922ના રોજ થઈ હતી. યુનિવર્સિટીએ છેલ્લા સો વર્ષોમાં નોંધપાત્ર રીતે વિસ્તરણ કર્યું છે અને હવે તેમાં 90 કોલેજો અને 86 વિભાગો છે. હવે 6 લાખથી વધુ વિદ્યાર્થીઓએ દિલ્હી યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી છે.
