પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિર્ગીસ્તાનમાં યોજાનાર SCO સમિટમાં ભાગ લેવા રવાના થયા
Live TV
-
આતંકવાદનો મુદ્દો ઉઠાવી શકે છે મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 જૂનના રોજ કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાનાર SCO સમિટમાં ભાગ લેવા માટે આજરોજ દિલ્હીથી રવાના થયા હતા..બિશ્કેકમાં આયોજિત શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની વાર્ષિક શિખર પરિષદમાં વડાપ્રધાન મોદી આતંકવાદના વધતા જોખમ સહિત સ્થાનિક વિસ્તારની મુખ્ય સમસ્યાઓ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરી શકે છે. આ સંમેલનમાં ભાગ લેનારા નેતાઓ વચ્ચે વૈશ્વિક સુરક્ષા, બહુપક્ષીય આર્થિક સહયોગ, લોકોનો લોકો સાથે સંપર્ક અને આંતરરાષ્ટ્રીય તથા ક્ષેત્રીય મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. .SCO ચીનના નેતૃત્વ હેઠળની આઠ સભ્યોની આર્થિક અને સુરક્ષાની સમિતિ છે જેમાં ભારત અને પાકિસ્તાનને ૨૦૧૭માં પ્રવેશ અપાયો હતો. ૧૨થી ૧૪ જૂન સુધી જીનપિંગ કિર્ગીસ્તાનની સત્તાવાર મુલાકાતે જશે. ભારતના ચીન ખાતેના રાજદૂત વિક્રમ મિસરીએ ગયા સપ્તાહમાં કહ્યું હતું કે SCO શિખર મંત્રણાની સાથે સાથે બંને નેતાઓ મળશે.