પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની કમિટીને કર્યુ સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવની કમિટીને સંબોધન કરવામાં આવ્યુ હતું. સંબોધન કરતા તેમણે જણાવ્યુ હતું કે આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણીનું પર્વ એવું હોવું જોઇએ જેમાં સ્વાધિનતા સંગ્રામની ભાવના અને ત્યાગની ભાવનાનો અનુભવ થઇ શકે. આ ઉજવણીમાં શહિદને આપવામાં આવતી શ્રદ્ધાંજલિ પણ હોય અને શહિદોા સ્વપ્નનું ભારત બનાવવાનો સંકલ્પ પણ સામેલ હોવો જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતુ કે ઉજવણીમાં સનાતન ભારતનું ગૌરવ પણ હોવુું જોઇએ અને તેમાં આધુનિક ભારતની ચમક પણ હોવી જોઇએ. દેશના 130 કરોડ લોકોને સાથે રાખીને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવાની છે. જેમાં ફ્રીડમ સ્ટ્રગલ, આઇડિયા, એચિવમેન્ટસ, એક્શન જેવી બાબતોનો સમાવેશ થશે...