પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં ભગવદ ગીતાના શ્લોકો પર 21 વિદ્વાનોની વ્યાખ્યાઓનું વિમોચન કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભગવદ ગીતાના શ્લોકો પર 21 વિદ્વાનોની વ્યાખ્યાઓ સાથે પાંડુલિપિના 11 ખંડોનું વિમોચન કરશે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને ડો.કરણસિંહ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. શ્રીમદ ભગવદ ગીતા તે સંસ્કૃતની અનેક દુર્લભ વ્યાખ્યા સાથેનો મૂળ હસ્તલિખિત ગ્રંથ છે. ધર્માર્થ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પાંડુલિપિને ભારતીય સુલેખની સૂક્ષ્મતા સાથે તૈયાર કરવામાં આવી છે. તેમાં ભાષ્યથી માંડીને ભાષાનુવાદને પણ સામેલ કરવામાં આવ્યા છે. ડો. કરણસિંહ જમ્મુ કાશ્મીરના ધર્માર્થ ટ્રસ્ટના અધ્યક્ષ ટ્રસ્ટી છે.