ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ બિહારના બક્સર, કારાકાટ અને પાટલીપુત્રમાં સંબોધી સભા
Live TV
-
લોકસભા ચૂંટણીમાં અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચારમાં આવ્યો વેગ
લોકસભા ચૂંટણી 2024માં અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચારમાં વેગ આવ્યો છે. સાતમા અને અંતિમ તબક્કા માટે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ ઝંઝાવતી પ્રચાર કરતા પાટલી પુત્ર અને બિહારના કારાકટમાં જનસભા સંબોધી હતી.
તેમણે કારાકટમાં કહ્યું કે, હું બિહારના લોકોને ગેરંટી આપું છું કે, જેમણે બિહારના ગરીબોને લૂંટ્યા છે. તે લોકોના જેલમાં જવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તો પાટલીપુત્રમાં બંધારણનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, અમારા માટે બંધારણ સર્વોપરી છે.
