ભારતીય રેલ્વેની મુસાફરીની આવક વધી, એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન રેલવેની આવક થઈ 48,913 કરોડ રૂપિયા
Live TV
-
ભારતીય રેલ્વેની મુસાફરીની આવકમાં 71 ટકા જેટલો વધારો નોંધાયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2022 દરમિયાન રેલવેની આવક વધીને 48 હજાર 913 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉના વર્ષના આ જ સમયગાળા દરમિયાન 28 હજાર 569 કરોડ રૂપિયા હતી.
1લી એપ્રિલથી 31મી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન આરક્ષિત મુસાફરીની આવક અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન 26 હજાર 400 કરોડની સરખામણીએ 38 હજાર 483 કરોડ રૂપિયા થઈ છે, જે 46 ટકાનો વધારો દર્શાવે છે. 1લી એપ્રિલથી 31મી ડિસેમ્બર 2022ના સમયગાળા દરમિયાન આરક્ષિત સિવાયના મુસાફરો પાસેથી થયેલી આવક 10 હજાર 430 કરોડ રૂપિયા છે જે અગાઉના વર્ષના આ સમયગાળા દરમિયાનની બે હજાર 169 કરોડની સરખામણીએ 381 ટકાનો વધારો દર્શાવે છે.
