આગામી 5 જાન્યુઆરીએ રાજ્યોના મંત્રીઓની બે દિવસીય અખિલ ભારતીય પરિષદનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા કરાયું આયોજન
Live TV
-
કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય દ્વારા રાજ્યોના મંત્રીઓની બે દિવસીય અખિલ ભારતીય પરિષદનું પાંચ જાન્યુઆરીએ આયોજન કર્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આયોજિત આ સંમેલનમાં જળશક્તિ દ્રષ્ટિકોણ @ 2047 મુખ્ય વિષયવસ્તુ છે. ભોપાલમાં મીડિયા સાથે વાત કરતાં, જળ શક્તિ રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે જણાવ્યું કે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ સંમેલનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને તમામ રાજ્યોના મંત્રીઓ ભાગ લેશે.
પાણીના વિષય પર આ પ્રકારની આ પ્રથમ રાષ્ટ્રીય પરિષદ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્ય પાસેથી આ અંગે પ્રતિભાવ મેળવવાનો અને મંત્રાલયની યોજનાઓ તેમની સાથે રજુ કરવાનો છે.
