ભારતીય હવામાન વિભાગે અમ્ફાન ચક્રવાત અંગે બેહદ સટીક પુર્વાનુંમાન લગાવ્યું
Live TV
-
WMO ના મહાસચિવ તરફથી લખાયેલા પત્રમાં કહેવાયું
વિશ્વમોસમ વિજ્ઞાન સંગઠને ગતમહિને બંગાળની ખાડીમાં ઉભા થયેલા આમ્ફાલ ચક્રવાત સમયે ભારતીય હવામાન વિભાગ દ્વારા નિભાવેલી ભુમિકાની પ્રશંશા કરી છે.ડબલ્યુ એમ ઓ ના મહાસચિવ તરફથી લખાયેલા પત્રમાં કહેવાયું છે કે ભારતીય હવામાન વિભાગે આમ્ફાલ ચક્રવાત અંગે બેહદ સટીક પુર્વાનુંમાન લગાવ્યું હતું.ચક્રવાતની ઉત્પત્તી, તીવ્રતા, લેન્ડીંગ સમયે વરસાદ અને પવનની ગતી જેવા મહત્વના કાર્યો અંગે યોગ્ય સમયે જાણકારી મળવાથી તુરંન્ત જરૂરૂ પગલાઓ ભરી શકાયા હતાં. જેના કારણે તોફીનથી થનાર નુકશાનને ઘટાડી શકાયું છે.ડબલ્યું એમ ઓ એ ચક્રવાત દરમિયાન જાહેર થયેલ બુલેટીનને ઉપયોગી ગણાવ્યું છે.પત્રમાં કહેવાયું છે કે આ એડવાઇઝરી બુલેટીંગ બાંગ્લાદેશ સહિત તમામ સંગઠન દેશો સાથે શેર કર્યું જેથી ચક્રવાતની વધુ જાણકારી મળી શકી.
