ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા વૈશ્વિક સુખાકારી માટે મહત્વપૂર્ણ છે: પ્રધાનમંત્રી મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે ભારત અને અમેરિકાની મિત્રતા વૈશ્વિક સુખાકારી માટે જરૂરી છે. પ્રધાનમંત્રીએ આ વાત પોતાના અમેરિકા પ્રવાસ અંગે કહી હતી. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકા અને ઈજિપ્તની છ દિવસીય યાત્રા પૂરી કરીને રવિવારે રાત્રે દિલ્હી પહોંચ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, અમેરિકા અને ભારતની મિત્રતા વિશ્વની સૌથી મહત્વપૂર્ણ મિત્રતાઓમાંની એક છે. તે પહેલા કરતા વધુ મજબૂત, નજીક અને વધુ ગતિશીલ છે. તેના પર પીએમ મોદીએ કહ્યું કે તેઓ તેમની વાત સાથે સહમત છે. વૈશ્વિક સુખાકારી માટે બંને દેશો વચ્ચે મિત્રતા જરૂરી છે. તે વિશ્વને વધુ સારી અને વધુ ટકાઉ બનાવશે. મારી તાજેતરની મુલાકાતમાં જે બાબતો સામે આવી છે તેનાથી બન્મે દેશોના સંબંધ વધુ મજબૂત થશે. અમેરિકાની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ બંને દેશો સાથે અનેક ઐતિહાસિક કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.
