મહારાષ્ટ્ર કેડરના અધિકારી સદાનંદ વસંત દાતે રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA ના નવા પ્રમુખ બનશે
Live TV
-
મહારાષ્ટ્ર કેડરના અધિકારી સદાનંદ વસંત દાતે, રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)ના નવા પ્રમુખ બનશે. પીયૂષ આનંદને નેશનલ ડિઝાસ્ટર ફોર્સ (એનડીઆરએફ)ના ડાયરેક્ટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે અને રાજીવ કુમાર શર્માને બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરડી)ના ડિરેક્ટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે.
સદાનંદ વસંત દાતે અને રાજીવ કુમાર શર્મા, ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) ની 1990 બેચના છે જ્યારે આનંદ, 1991 બેચના છે. આ ત્રણેય અધિકારીઓ 31 માર્ચે, ત્રણ વર્તમાન પ્રમુખોની નિવૃત્તિ બાદ ચાર્જ સંભાળશે.
કેબિનેટની નિમણૂક સમિતિએ, મંગળવારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ), નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને બ્યુરો ઑફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆરડી) માટે નવા વડાઓની નિમણૂકને મંજૂરી આપી હતી, એમ માહિતી બુધવારે, મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવી હતી.