મહારાષ્ટ્ર: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે INS શિવાજીને રાષ્ટ્રપતિ ચિન્હ પ્રદાન કર્યું
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, દેશની નૌ સેના બહાદુરી અને સાહસ સાથે સમુદ્રી સરહદની રક્ષા કરે છે. તેના માટે દેશ હંમેશાં તેનો ઋણી રહેશે. મહારાષ્ટ્રના લોનાવાલામાં INS શિવાજીને રાષ્ટ્રપતિ ચિન્હ પ્રદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષ પરેડ યોજાઈ હતી. સમારોહમાં રાષ્ટ્રપતિએ નૌસેનાના જવાનો અને અધિકારીઓને સંબોધન કરતાં કહ્યું કે, દેશની સમુદ્રી સીમા ઉપર તૈનાત ભારતીય નૌસેનાના બહાદુર પહેરી ,દિવસ રાત્રી એક કરીને તમામ મુશ્કેલીઓનાં પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. તેમના આ જુસ્સાને દેશ સલામ કરે છે.