સમયસર પગલા ભરાતા કોરોનાના સંક્રમિત કેસ અને મૃત્યુઆંક પર મેળવાયો કાબૂ
Live TV
-
લોકડાઉનના કારણે બે લાખ લોકોનો બચાવાયો જીવ. 70 લાખ લોકોને સંક્રમિત થતા બચાવાયા
તો કોવિડ-19 અંગે કેન્દ્ર સરકારે કહ્યુ, સમયસર પગલા ભરતા કોરોનાના સંક્રમિત કેસ અને મૃત્યુઆંક પર મેળવાયો કાબુ. લોકડાઉનના કારણે બે લાખ લોકોનો બચાવાયો જીવ. 70 લાખ લોકોને સંક્રમિત થતા બચાવાયા. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે લોકડાઉનને કારણે દેશમાં મોટી સંખ્યામાં લોકોને સંક્રમણનો ભોગ બનતા બચાવી શકાયા છે. એક અભ્યાસના આંકડા જાહેર કરતાં સરકારે જણાવ્યું હતું કે, દેશમાં લોકડાઉનને કારણે સરકાર લગભગ બે લાખ લોકોના જીવ બચાવી શકી છે. લોકડાઉનને કારણે જ 70 લાખ લોકો સંક્રમિત થવાથી બચ્યા છે. કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે દેશમાં ડાયગ્નોસ્ટિક કીટનું નિર્માણ શરૂ થઇ ચુક્યું છે. આગામી છ થી આઠ સપ્તાહમાં દૈનિક પાંચ લાખ કીટનું ઉત્પાદન કરવામાં દેશ સક્ષમ થઇ જશે. તે ઉપરાંત ICMRએ વાયરલ કલ્ચર પણ તૈયાર કર્યું છે
