સ્મૃતિ ઇરાનીના અસમ, શિવસાગરમાં ચૂંટણીસભા સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહાર
Live TV
-
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ અસમના શિવસાગરમાં ચૂંટણીસભાને સંબોધતા, કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ભાજપની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું હતું , કે કેન્દ્રની સરકાર કોરોના કાળમાં દેશના જરૂરિયાતમંદોની પડખે રહી છે અને કેન્દ્ર સરકારે 80 કરોડ દેશવાસીઓને મફત રાશન આપવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે, કે અસમમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય મંત્રીઓ વિવિધ ચૂંટણી સભાને સંબોધીને ભાજપ સરકારના કાર્યોની સફળતાનો ચિતાર રજૂ કરતા હોય છે.