હવામાન વિભાગની આગાહીઃ ઉત્તર ભારતમાં આવતીકાલ બાદ ફરી શીતલહેર
Live TV
-
દેશભરમાં શિયાળો જોર પકડતા સમગ્ર ઉત્તર ભારત બરફની ચાદરોમાં લપેટાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ભારતમાં 15 જાન્યુઆરી બાદ ફરી શીતલહેરનો અનુભવ થશે. હિમાચલ પ્રદેશના શિમલા અને મનાલીમાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન પ્રતિકૂળ પરિસ્થિતિમાં મુકાયું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. શ્રીનગર, કાશ્મીર ઘાટી સહિત અનેક વિસ્તારોમાં રસ્તા પર બરફની ચાદરો છવાયેલી જોવા મળી રહી છે.. જેને પગલે પરિવહન ઠપ્પ થતા જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે. સ્થાનિક તંત્ર દ્વારા બરફ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે..
