હવેથી દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં અન્ય રાજ્યોના દર્દીઓ પણ સારવાર લઈ શકશે, ઉપરાજ્યપાલે પલટાવ્યો નિર્ણય
Live TV
-
ઉપરાજ્યપાલે : ફક્ત કોઈ દર્દી દિલ્લીના રહેવાસી નથી તે આધાર પર તેને સારવાર માટે ના પાડી શકાય નહિ .
હવેથી અન્ય રાજ્યોના દર્દીઓ પણ દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ શકશે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિર્ણયને પલટાવ્યો છે. એલજીએ આ સંદર્ભમાં એક આદેશ જારી કર્યો છે. નવા આદેશ હેઠળ હવે તમામ લોકો દિલ્હીની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ શકશે. આ પહેલા દિલ્લી સરકારે એવો આદેશ બાહર પડેલો કે દિલ્હીની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીના રહેવાસીઓની જ સારવાર થશે. દિલ્હીના ઉપરાજ્યપાલે અધિકારીઓને સૂચના આપી કે તમામ દર્દીઓને ઈલાજ મળે તે સુનિશ્ચિત કરવામાં આવે. ઉપરાજ્યપાલે જણાવ્યુ કે ફક્ત કોઈ દર્દી દિલ્લીના રહેવાસી નથી તે આધાર પર તેને સારવાર માટે ના પાડી શકાય નહિ .
