ભારતમાં કોવિડ 19ના એક લાખ 24 હજાર 981 એક્ટિવ કેસ
Live TV
-
એક લાખ 24 હજાર 429 દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા-ગત 24 કલાકમાં 5 હજારથી વધારે લોકો ઘરે પરત ફર્યા-તો 7 હજાર 200 લોકોના અત્યાર સુધી ગુમાવ્યો જીવ.
ભારત દેશમાં ,કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા ,એક લાખ 24 હજાર ,981 થઇ છે. જ્યારે સારવાર લઇને સાજા થયેલા દર્દીની સંખ્યા ,એક લાખ 24 હજાર 429 થઇ છે. જ્યારે કોવિડ- 19થી ,સાત હજાર 200ના મોત થયા છે. દુનિયામાં, ઘણા દેશ કોરોનાની દવા શોધી રહયાં છે. તે રીતે ભારતમાં પણ ,ઇલાજ શોધાઇ રહયો છે.ભારતમાં વનસ્પતિ દ્વારા બનનાર ,દવા ACQH ની કલીનીકલ ટ્રાયલ ,શરૂ થઇ છે. તેને CSIR એ ઐતિહાસીક ગણાવતા તેનું સ્વાગત કર્યું છે. ડીજીસીઆઇ એ સન ફાર્માશ્યુટીકલ ને ACQH ની કલીનીકલ ટ્રાયલની મંજુરી આપી છે. કંપનીના જણાવ્યા અનુસાર દેશમાં 12 કેન્દ્રો ઉપર 210 દર્દી ઉપર કલીનીકલ ટ્રાયલ કરાશે. CSIR ના મહાનિદેશક ડો. શેખર માંડે એ જણાવ્યુ હતુ ,કે આ કંપનીએ કલીનીકલ ટ્રાયલ શરૂ કર્યું છે
