24 કલાકમાં દેશમાં કોરોનાના 33,750 નવા કેસ, 123 દર્દીના મૃત્યુ
Live TV
-
દેશમાં 24 કલાકમાં કોરોનાના 33,750 નવા કેસ નોંધાયા છે. દેશમાં 24 કલાકમાં કોરોનાથી 123 દર્દીના મૃત્યુ થયા છે. દેશભરમાં અત્યાર સુધી કુલ3,42,95,407 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે અને હાલ દેશમાં કુલ સક્રિય કેસ 1,45,582 છે. 24 કલાકમાં દેશમાં 10,846 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. 24 કલાકમાં દેશભરમાં રસીના 23,30,706 ડોઝ આપવામાં આવ્યા છે અને અત્યાર સુધી દેશમાં રસીના કુલ 1,45,68,89,306 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં 24 કલાકમાં કોરોનાના 8,78,990 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કોરોનાના કુલ 68,09,50,476 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં ઓમિક્રોનના અત્યાર સુધી 1700 કેસ દાખલ નોંધાયા છે અને 639 દર્દી ઓમિક્રોનથી સાજા થયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કુલ 510 અને દિલ્લીમાં 351 કેસ નોંધાયા છે.
