27 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે પરીક્ષા પે ચર્ચા
Live TV
-
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે જાહેરાત કરી કે પરીક્ષા પે ચર્ચા 27 જાન્યુવઆરીના રોજ યોજાશે. તેમણે જણાવ્યું હતું કે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતા સાથે "પરીક્ષા પે ચર્ચા 2023" ની 6ઠ્ઠી આવૃત્તિ તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે 27 જાન્યુઆરી 2023 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. અત્યાર સુધીમાં પરીક્ષા પે ચર્ચા-2022માં લગભગ 15.7 લાખની નોંધણી થઈ હતી જેની સરખામણીએ પરીક્ષા પે ચર્ચા-2023 માટે 38.80 લાખ લોકો દ્વારા અત્યાર સુધીમાં નોંધણી નોંધણી કરાવી છે. પરીક્ષા પે ચર્ચા-2023 માટે 150 થી વધુ દેશોના વિદ્યાર્થીઓ, 51 દેશોના શિક્ષકો અને 50 દેશોના માતાપિતાએ નોંધણી કરાવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27 જાન્યુઆરી, 2023ના રોજ 'પરીક્ષા પે ચર્ચા'ની આગામી આવૃત્તિમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાર્તાલાપ કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ માહિતી આપી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે 27 જાન્યુઆરી, 2023ના રોજ PM મોદી પરીક્ષા પે ચર્ચા અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે વાતચીત કરશે.
