40 લાખ કરોડનું બજેટઃ સરકારે ઈન્કમટેક્ષ સ્લેબ યથાવત રાખ્યો અને રાજ્યોને વગર વ્યાજે 1 લાખ કરોડ આપશે
Live TV
-
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સવારે 11 વાગ્યે લોકસભામાં બજેટ રજૂ કર્યું હતું. બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, આવક પર લાગતા કરના સ્લેબમાં સરકારે કોઈ બદલાવ નથી કર્યો. ગયા વર્ષે જે ઈન્કમટેક્ષ સ્લેબ મુજબ જ આ વર્ષ ઈન્કમટેક્ષ ભરવાનો રહેશે. આ વર્ષની રાજકોષીય ખાધનું અનુમાન 6.4 ટકા રખાયું છે.
કેન્દ્ર સરકાર વર્ષ 2022-23માં ડિજીટલ કરન્સી બહાર પાડશે જેથી ભારતીય રીઝર્વ બેન્કનો ડિજીટલ રુપયો અસ્તિત્વમાં આશે. ડિજીટલ કરન્સીથી વધુ સક્ષમ અને વધુ કાર્યદક્ષ હશે. 5G સેવા પણ શરુ કરવાનો સરકારનો અંદાજ છે.
રાજ્યોને મદદ કરવા માટે કેન્દ્ર સરકારે આ બજેટમાં મોટી જોગવાઈ કરી છે. હવે રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર 1 લાખ કરોડ રુપિયા વગર વ્યાજે આપશે. આ સાથે જ રાજ્યોને GSDPના 4 ટકા સુધી રાજકોષીય ખાધની અનુમતિ અપાઈ છે.
કેન્દ્ર સરકારે આ વર્ષે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો છે. આ વર્ષે કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરાયો છે. પહેલાં એક કરોડની કમાણી પર કોર્પોરેટ ટેક્સ લાગતો હતો. હવે 10 કરોડ સુધી કમાણી પર જ કોર્પેોરેટ ટેક્સ લાગશે. જેથી કોર્પોરેટ કંપનીઓને આ જોગવાઈથી ફાયદો થશે.
આ સાથે હવે વધારાના કરની ચૂકવણી માટે અપડેટેડ રિટર્ન ભરવું પડશે અને તે નિર્ધારીત વર્ષના અંતથી બે વર્ષની અંદર ભરી શકાશે. દિવ્યાંગોને ટેક્સમાં રાહત આપવામાં આવી છે અને સરકારી કર્મચારીઓને મળતા પેંશન પર ટેક્સ ભરવામાંથી મુક્તિ અપાઈ છે. ક્રિપ્ટો કરેન્સી દ્વારા થતા નફામાં 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
નાણામંત્રીએ બપોરે 12.30 વાગ્યે પોતાનું બજેટ ભાષણ પૂર્ણ કર્યું હતું. આ સાથે જ હવે લોકસભા સદનની કાર્યવાહી કાલ સુધી સ્થગિત કરાઈ છે.
