7200 થી વધુ ભાવિકોનો બારમો જથ્થો આજે અમરનાથની ગુફા તરફ રવાના
Live TV
-
જમ્મુ અને કાશ્મીરમાં યોજાઈ રહેલી અમરનાથ યાત્રામાં 7200થી વધુ ભાવિકોનો બારમો જથ્થો આજે સવારે જમ્મુના બેઝ કેમ્પથી અમરનાથની ગુફા તરફ રવાના થયો છે. અમરનાથ યાત્રા કરવા ભક્તોની સંખ્યામાં જે રીતે દર વર્ષે લોકોની ભીડ જોવા મળતી હોય છે. તે જ રીતે આ વર્ષે પણ તબક્કા વાર અમરનાથ યાત્રામાં લોકોની ભીડ જોવા મળી રહી છે.
જમ્મુના સરકારી તંત્ર દ્વારા પણ ભક્તોની સલામતીની સઘન વ્યવસ્થા વચ્ચે ભાવિકોને લઈને 266 વાહનો બાલતાલ અને પહલગામ તરફ જવા રવાના થયા છે. અત્યાર સુધી એક લાખ, 62 હજારથી વધુ ભાવિકોએ અમરનાથની ગુફા ખાતે શિવદર્શન કર્યા છે.
આજે સઘન સુરક્ષા વચ્ચે અમરનાથ યાત્રામાં 7200થી વધુ ભાવિકોનો આજે અમરનાથ ગુફા તરફ રવાના થયો હતો.
