CM રૂપાણી કુંભમેળામાં પહોંચ્યા, વારાણસીમાં ઉતારી ગંગા આરતી
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં નિર્મોહી અખાડાના સાધુ સંતોના આશીર્વાદ લેવા પહોંચ્યા.વારાણસીમાં પણ પહોંચીને મુખ્યમંત્રીએ ગંગા આરતી ઉતારીને ગંગા મૈયાના આશીર્વાદ મેળવ્યાં.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પવિત્ર કુંભસ્નાન ગંગામૈયામાં ડૂબકી લગાવીને કર્યું હતું. તેમણે આ કુંભમેળામાં સ્નાન કર્યાબાદ જણાવ્યું કે, ગંગામૈયા સમક્ષ દેશ અને રાજ્યની ઉન્નતિ, સૌના સાથ -સૌના વિકાસની મંગલકામનાઓ વાંચ્છી છે. મુખ્યમંત્રીએ ગુજરાત વિકાસ માર્ગે ઉન્નત પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું કે, હિન્દુ સંસ્કૃતિમાં આ પવિત્ર કુંભ એ સામાજિક સમરસતાનું એક આગવું પ્રતિક છે. કરોડો શ્રદ્ધાળુઓ આસ્થાપૂર્વક મેળાનો લાભ લેવા અને પવિત્ર સ્નાન માટે આવે છે, તે અર્થમાં આ મેળો ભારતની એકતા અને અખંડિતતાનું પણ પ્રતિક છે.