PM મોદીએ ઈટાનગરમાં ગ્રીન ફીલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ, DDની અરુણપ્રભા ચેનલ કરી લૉન્ચ
Live TV
-
આ એરપોર્ટ બનવાથી એર કનેક્ટિવિટી વધતા પર્યટન સંભાવનાઓ વધશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અરૂણાચલપ્રદેશની મુલાકાતે પહોચ્યા છે.. અરૂણાચલને વિકાસના નવા પથ પર આગળ વધારવા અનેક યોજનાનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યુ હતુ.. પ્રધાનમંત્રીએ ઈટાનગરમાં ગ્રીન ફીલ્ડ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો. આ એરપોર્ટ બનવાથી એર કનેક્ટિવિટી વધતા પર્યટન સંભાવનાઓ વધશે. પ્રધાનમંત્રી આ ઉપરાંત એકસો દસ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવતું પારે જળવિદ્યુત મથક દેશને સમર્પિત કર્યુ છે.
પ્રધાનમંત્રીે સમગ્ર અરૂણાચલમાં 50 જેટલા આરોગ્ય કેન્દ્રોનું ઉદઘાટન પણ કર્યુ હતુ.. વિશેષ વાત એ છે કે, આજના દિવસે જ અરૂણાચલને તેની પોતાની અરૂણપ્રભા ચેનલની ભેટ પણ મળી ગઈ છે.. આ ચેનલ અરૂણાચલની સભ્યતા અને સંસ્કૃતિને સમર્પિત છે. તેનું મુખ્યાલય ઈટાનગરમાં દૂરદર્શન કેન્દ્ર ખાતે રહેશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ભારતીય ફિલ્મ અને ટેલીવિઝન સંસ્થાની આધારશિલા પણ મૂકી હતી.