PM નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરેન્સીંગના માધ્યમથી ભાજપનાં કાર્યકર્તાઓ સાથે કરશે વાતચીત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે વીડિયો કોન્ફરેન્સીંગના માધ્યમથી વારાણસીમાં ભાજપનાં કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે.ચુંટણી આચારસંહિતા લાગુ થયા પછી પોતાના મતવિસ્તારના પાર્ટી કાર્યકર્તાઓ સાથે આ પહેલો સંવાદ છે.પ્રધાનમંત્રી 11 વાગે નમો એપ પર કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે.જે માટે નમો એપ પર સૂચનો પણ માંગવામાં આવ્યા છે.ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન યોજાનાર છે.જેમાં પહેલા તબક્કાનું મતદાન 10 ફેબ્રુઆરીએ થશે.જ્યારે મતગણતરી 10 માર્ચે હાથ ધરાશે.
