PM નરેન્દ્ર મોદી 29 જાન્યુઆરીએ 'મન કી બાત' કાર્યક્રમમાં લોકો સાથે તેમના વિચારો કરશે રજુ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે 'મન કી બાત' કાર્યક્રમમાં લોકો સાથે તેમના વિચારો રજુ કરશે. 29 તારીખે રવિવારે સવારે 11 વાગ્યે આકાશવાણી પર માસિક રેડિયો કાર્યક્રમનો આ 97મો એપિસોડ હશે. પ્રધાનમંત્રીએ લોકોને વિવિધ વિષયો પર તેમના વિચારો રજુ કરવા આમંત્રણ આપ્યું છે. લોકો નમો એપ અથવા માય ગોવ ઓપન ફોરમમાં તેમનાં મંતવ્યો રજુ કરી શકે છે. તેઓ ટોલ-ફ્રી નંબર 1800-11-7800 પર પણ ફોન કરીને પ્રધાનમંત્રીને તેમનો સંદેશ હિન્દી અથવા અંગ્રેજીમાં રેકોર્ડ કરાવી શકે છે. આ મહિનાની 27મી તારીખ સુધી ફોન લાઈન ખુલ્લી રહેશે. લોકો 1922 નંબર પર મિસ કોલ કરીને એસએમએસમાં મળેલી લિંકને અનુસરીને સીધા જ સૂચનો આપી શકે છે.
