UAEના વિદેશમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
Live TV
-
સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લાહ બિન જાયદ અલ નહયાને મંગળવારે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી..આ દરમિયાન તેઓની વચ્ચે ઘણાં મુદ્દાઓ પર વાત થઈ..મુલાકાત બાદ એક ટ્વીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ એક સારી મુલાકાત હતી અને બંનેએ આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો પર વિસ્તારથી ચર્ચા કરી..આ પહેલા UAEના વિદેશમંત્રીએ ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી અને બંને દેશોના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
સંયુક્ત આરબ અમીરાતના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લાહ બિન જાયદ અલ નહયાન ત્રણ દિવસની ભારતની યાત્રા પર છે.