UN સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર PM મોદીનું સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી મોદીનું સંયુક્ત રાષ્ટ્રમાં આર્થિક અને સામાજિક પરિષદની ઉચ્ચ સ્તરીય સમિતિને સંબોધિત કરી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રમાં સુરક્ષા પરિષદમાં અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર પ્રધાનમંત્રી મોદી સંબોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ થયાના પરિપ્રેક્ષ્યમાં આર્થિક અને સામાજિક પરિષદના ઉચ્ચ સ્તરીય સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે 2021-22 માટે ચૂંટાયું છે.
પ્રધાનમંત્રીએ UN માં સંબોધેલા ભાષણના અંશઃ
- અમારો સિદ્ધાંત સબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ છે.
- કોરોના મહામારી વચ્ચે અમે આત્મનિર્ભર અભિયાન ચલાવ્યું
- અમારી સરકારે કોરોના વિરુદ્ધની લડાઈને જન આંદોલન બનાવ્યું
- કોરોના વિરુદ્ધની લડાઈમાં અમે 150થી વધુ દેશોને મેડીકલ સામગ્રી પહોંચાડી છે.
- તત્કાલીન પરિસ્થિતિ વચ્ચે પણ અમે ક્લાઈમેન્ટ ચેન્જ જેવા લાંબા સમયના પડકારો પણ અમારી પ્રાથમિકતા છે.
