આજથી બે દિવસ માટે સમગ્ર રાજ્યમાં ગીધની ગણતરી
Live TV
-
ગીધ ની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તે ચિંતાનો વિષય છે
આજથી બે દિવસ માટે સમગ્ર રાજ્યમાં ગીધ ની ગણતરી કરવામાં આવશે ,જેમાં રાજ્યના વનવિભાગના અધિકારી તેમજ અભ્યારણ ના અધિકારી આ ગણતરી માં જોડાશે. ગીધ ની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તે ચિંતા નો વિષય છે. ત્યારે સરકાર દ્વારા આજથી બે દિવસ માટે રાજ્યમાં વિવિધ જગ્યા ઉપર કે જ્યાં આની વસ્તી હોય ત્યાં જઈને ગણતરી કરશે સાથે આ પક્ષી ને બચાવા માટે શું કરવું અને તેની સંખ્યા કેવી રીતે વધી શકે તેનું અવલોકન કરશે. ઉલ્લેખનીય છે.કે. ગીધ એક સફાઈ કામદાર તરીકે કામ કરતું પક્ષી છે, પણ છેલ્લા કેટલાક વર્ષો માં તેની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારદ, અખિયાણા, પીપળી, મોટી, માલવણ, ચંદ્રાસર, જેવા ગામડામાં ગીધ ની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળતી હતી.હાલમાં પણ વૃક્ષની અંદર તેના માળા છે. પણ ગીધ વહેલી સવારે પોતાના શિકાર માટે નીકળી જાય અને સાંજે ત્યાં પરત આવતા હોય છે. ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય ના અધિકારી આ ગામની મુલાકાત લઈને ગીધ વિષે ની માહિતી મેળવી હતી.