અમદાવાદ રિવરફ્ન્ટ ખાતે 15મા દિવ્યાંગ કલા મેળાનું રાજ્યપાલના હસ્તે ઉદ્દઘાટન કરાયું
Live TV
-
અમદાવાદ રિવરફ્ન્ટ ખાતે 15મા દિવ્યાંગ કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આ કલામેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દિવ્યાંગ ઉદ્યોગ સાહસિકોને,, સશક્ત બનાવવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દિવ્યાંગ કલામેળો 25મી ફેબ્રુઆરી સુધી રહેશે. જેમાં દેશના જુદા-જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 100 દિવ્યાંગ કારીગરો-કલાકારો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે.