આણંદઃ ખેડૂત મનિષભાઈએ ઓછા પાણીએ કરી ડાંગરની ખેતી
Live TV
-
આણંદ જિલ્લાના ભાલ પંથકમાં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થતી હોય છે. ડાંગરની ખેતીમાં ધરૂ રોપણી માટે ખેતમજૂરોની જરૂરિયાત પડે છે. અનિયમિત વરસાદને કારણે ડાંગરની રોપણી કરવામાં ખેડૂતો મુશ્કેલી અનુભવતા હોય છે.
ત્યારે આણંદ તાલુકાના વણસોલ ગામના પ્રગતિશીલ ખેડૂત એવા મનીષભાઇ આ બધી ઝંઝટમાંથી મુકિત મેળવવા માટે પોતાના ખેતરમાં ડાંગરનો પાક લેવા માટે ટ્રેકટર કે બળદની મદદથી બિન પિયત ખેત પધ્ધતિ એવી ઓરણ પધ્ધતિ અપનાવી પાણીની બચત કરવાની સાથે સમય અને ખેતમજૂરોને જે મજૂરી ચૂકવવી પડતી હતી તેમાંથી મુકિત મેળવી છે.
પ્રગતિશીલ ખેડૂત મનિષભાઇએ આ પધ્ધતિ અપનાવીને પોતાની ખેતીની આવક બમણી કરવા તરફ એક ડગલું આગળ વધીને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ઓછા ખર્ચે, ઓછી મહેનતે અને ઓછા પાણીએ ડાંગરની ખેતી કરીને આવકમાં વધારો કર્યો છે.