જામનગર: વરુણદેવને રીઝવવા ભંડારાનું આયોજન
Live TV
-
ભોઈવાડા વિસ્તારમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું
વરુણદેવ ને રીઝવવા માટે અનેક પ્રયોગો કરવામાં આવે છે ત્યારે જામનગર ના ભોઈવાડા વિસ્તાર માં ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ નદીપા વિસ્તાર માં કલ્યાણેશ્વર મહાદેવ મંદિરે મહાદેવ ને જળ સમાધિ આપવામાં આવી હતીં. જામનગર જિલ્લા માં ગત વર્ષે ઓછો વરસાદ થયો હતો જ્યારે ચાલુ વર્ષે પણ વરસાદ ઘણો મોડો હોવાથી અત્યારે વરસાદ ખેંચાતા ભારે ચિંતા ના વાદળ ઘેરાવા લાગ્યા છે વરસાદ પડશે કે નહીં તે ચિંતા માં ધાર્મિક ક્રિયાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે જામનગર ના ભોઈવાડા વિસ્તાર માં ભોઇ યુવા મંડળ દ્વારા ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું આ ભંડારા માં લાપસી, ચણા નું શાક, દાળ અને ગાંઠીયાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ અંદાજે ૩૦૦૦ જેટલા લોકો એ આ ભંડારા નો લાભ લીધો હતો.