જ્યારે રેલમંત્રી પિયુષ ગોયલે ટ્રેનમાં કર્યો સફર, સુવિધાઓ વિશે મુસાફરોના જાણ્યા મત
Live TV
-
રેલ્વે મંત્રી પિયુષ ગોયલ અચાનક મથુરા જંકશન પહોંચ્યા, પ્લેટફોર્મ બેનું નિરીક્ષણ કર્યું
સોમવારે રેલમંત્રી પિયુષ ગોયલે નિઝામુદ્દીનથી કોટા વચ્ચે જતી ટ્રેન નં 12060માં મહાવર જંકશન સુધી સફર કર્યો હતો..રેલમંત્રીને ટ્રેનમાં જોઈને મુસાફરોમાં આનંદ છવાઈ ગયો હતો..રેલમંત્રી ડી-1 અને જી 16 તરફના તમામ એસી કોચમાં ગયા હતા..ત્યા તેમણે મુસાફરોને મળીને રેલવેની સુવિધા વિશે અભિપ્રાયો જાણ્યા હતા..મુસાફરોએ સ્વચ્છતા, સ્ટાફ અને સુવિધાઓ વિશે પોતાના અભિપ્રાયો આપ્યા હતા..બાદમાં રેલમંત્રીએ ટ્રેનના સ્ટાફ ટીટીઈ, ગાર્ડસ બોર્ડ હાઉસ કિપીંગ સ્ટાપ સાથે પણ ચર્ચા કરી હતી..આ અંગે રેલમંત્રીએ કેટલાક ફોટો ટ્વીટર પર પોસ્ટ કર્યા છે..એટલુ જ નહી જન શતાબ્દી એક્સપ્રેસ દ્વારા કોટા જતા રેલ્વે મંત્રી પિયુષ ગોયલે સોમવારે મથુરા જંકશન સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું અને રેલવે અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા.