નવસારીઃ પાણીની ચોરી અટકાવવા સિંચાઈ વિભાગે પોલીસકર્મીઓ તૈનાત કર્યાં
Live TV
-
પાણીની અછત સામે પાણી ચોરીના બનાવો બનતા સિંચાઈ વિભાગે પાણીની રખેવાળી કરવા પોલીસકર્મીઓને તેનાત કર્યા છે જે નવસારીના ૨૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. ઉકાઈ ડેમથી કેનાલ મારફતે આવતું પાણી સિંચાઈ વિભાગ દ્વારા પાણી કાપને લઈને અટકાવ્યું હતું.
જે ફરી શરુ કરાયું છે એક તરફ પાણીનો જથ્થો ઓછો છે તો બીજી તરફ અસામાજિક તત્વો પાણી ચોરી તરફ વળ્યાં છે. જેને લઈને પાણીને પણ રખેવાળની જરૂર પડી રહી છે.. કેનાલ મારફતે આવતું પાણી પર પોલીસ ૨૪ કલાક નજર રાખીને બેઠું છે. રાત્રી હોય કે દિવસ પોલીસ કેનાલ પર રખેવાળની જેમ રખેવાળી કરી પાણી ચોરી અટકાવી રહી છે..