પરીક્ષા પે ચર્ચા-2020માં પોરબંદરના મન લોઢારીની પસંદગી
Live TV
-
પરીક્ષાના તણાવ ને દૂર કરવા દેશ વિદેશના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વાતચીતનો કાર્યક્રમ "પરીક્ષા પે ચર્ચા 2020"નું આયોજન 20 જાન્યુઆરીએ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના મહત્વપૂર્ણ સુચનો મેળવવા વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં બહુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આયોજનમાં ભાગ લેવા માટે પસંદ પામેલા વિદ્યાર્થીઓમાં પોરબંદરનો પણ એક વિદ્યાર્થીઓ પસંદગી પામ્યો છે. પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલયમાં બારમા ધોરણમાં અભ્યાસ કરી રહેલા મન લોઢારીની "પરીક્ષા પે ચર્ચા 2020" કાર્યક્રમ માટે પસંદગી થઇ છે. અને પસંદગીને લઈને તે ખુબજ ઉત્સાહિત છે.પોરબંદરના મન લોઢારીની "પરીક્ષા પે ચર્ચા 2020"માં થયેલી પસંદગીને લઈને તેના પિતા હરીશભાઈ લોઢારી અને માતા પ્રજ્ઞાબેન લોઢારી બહુજ ખુશ છે.