ભાવનગર - સાત્વિક આહાર ઉત્સવ સ્વાદ ભાવનગરીના ત્રિ - દિવસીય કાર્યક્રમ
Live TV
-
43 જેટલા સ્ટોલ પર ભાવનગરી સ્થાનિક ઓર્ગેનિક ખાદ્યસામગ્રીનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે
ભાવનગરમાં સાત્વિક આહાર ઉત્સવ સ્વાદ ભાવનગરીના ત્રિ - દિવસીય કાર્યક્રમનો આરંભ થયો છે. આ કાર્યક્રમનું આયોજન ભાવનગરની મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના વિમેન્સ ડેવલપમેન્ટ સેલ, શામળદાસ આર્ટસ કોલેજ વિમેન્સ ડેવલપમેન્ટ સેલ તેમજ ગૃહવિજ્ઞાન વિભાગના સંયુક્ત ઉપક્રમે થયેલું છે. જે બહેનો ગૃહઉદ્યોગ ચલાવે છે તેમને પગભર થવા પ્લેટ ફોર્મ પૂરૂં પાડવા માટે આ કાર્યક્રમનું આયોજન થયું છે. કાર્યક્રમમાં 43 જેટલા સ્ટોલ પર ભાવનગરી સ્થાનિક ઓર્ગેનિક ખાદ્યસામગ્રીનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. આ આહાર સામગ્રીની વિશેષતા એ હશે કે તેમાં કલર કેમીકલ જેવી કૃત્રિમ વસ્તુનો ઉપયોગ નહીં હોય, કુમુદ ચોખા અને ગોળ પણ અહીં જોવા મળશે. મહારાણી સંયુક્તાદેવી મેયર તથા કુલપતિ સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું.