મતદારોમાં જાગૃતિ આવે તે માટે પાન વિક્રેતાનો અનોખો પ્રયાસ
Live TV
-
જાગૃતિ માટે પાન પર લખવામાં આવે છે મતદાનના સ્લોગન
મતદાનને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે જામનગર શહેરના એક પાનના વિક્રેતાએ અનોખો પ્રયાસ શરૂ કર્યો છે. પોતાને ત્યાં આવતા ગ્રાહકોને મતદાનના સ્લોગન વાળા પાન વિનામૂલ્યે ખવડાવીને અચુક મતદાન કરવાની અપીલ કરી રહ્યાં છે. શહેરની રોટરેક્ટ ક્લબ ઓફ ઇમેજીકા યૂથના સભ્ય વિવેક ચંદ્રા પાનની દુકાનના ધરાવે છે અને તેમના પાન ઓનલાઈન ઘરે ઘરે પણ જાય છે. તેથી તેમણે મતદાન જાગૃતિના લખાણો સાથેના પાનનું પેકિંગ કરીને વેંચાણ શરૂ કર્યું છે.