Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: SBIએ તમામ બ્રાંચોમાં વ્હીલચેર વિતરણનો કાર્યક્રમ યોજ્યો

Live TV

X
  • રિઝર્વ બેન્કે બહાર પાડી છે માર્ગદર્શિકા

    રિઝર્વ બેન્કની માર્ગદર્શિકા મુજબ દરેક બેન્કમાં દિવ્યાંગો અને સીનીયર સીટીઝન માટે વ્હીલચેર હોવી જરૂરી છે. ત્યારે અમદાવાદમાં એ.એમ.એ. માં ગઈકાલે ભારતીય સ્ટેટ બેન્ક દ્વારા તમામ બ્રાંચોમાં વ્હીલચેર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં બેન્કના મેનેજરને વ્હીલચેર આપવામાં આવી હતી. જેથી બ્રાંચમાં આવતા દિવ્યાંગો કે સીનિયર સીટીઝનને કોઈ તકલીફ ના પડે. આ અંગે એસબીઆઈના ગુજરાતના મહાપ્રબંધક દુઃખબંધુ રથે જણાવ્યું હતું કે, એસબીઆઈના ગ્રાહકોને બેન્ક તમામ પ્રકારની સુવિધા આપવા માંગે છે. ખાસ કરીને દિવ્યાંગો અને સિનિયર સીટીઝન માટે વિશેષ કાળજી રાખીને વ્હીલચેરની સુવિધાનો આજથી દરેક બ્રાંચમાં પ્રારંભ કરવામાં આવ્યો છે, જેનો લાભ દિવ્યાંગો અને સિનિયર સીટીઝનને મળી રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply