વડોદરા - NCC દ્વારા વિદ્યાર્થીઓને સી સર્ટિફિકેટ, કેશ એવોર્ડ તેમજ સન્માનપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
Live TV
-
ગુજરાતના એડિજી રોય જોસેફ પણ એનસીસીના દિક્ષાન્ત સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા
બાળકો માં દેશભક્તિની ભાવના વધે તે માટે નેશનલ કેડેટ કોર્પસ એટલે કે એનસીસી સતત કાર્યરત હોય છે. એનસીસીના કેડેટને લશ્કરની ત્રણેય પાંખ વાયુદળ,ભૂમિદળઅને નૌકાદળની તાલીમ આપવામાં આવે છે. તાજેતરમાં જ વડોદરામાં, એનસીસી દ્વારા ત્રણ વર્ષ પૂર્ણ કરેલા વિધાર્થીઓને સી સર્ટિફિકેટ, કેશ એવોર્ડ તેમજ સન્માનપત્ર વિતરણ કરવાનો સમારોહ યોજાઈ ગયો. ગુજરાતના એડિજી રોય જોસેફ પણ એનસીસી ના દિક્ષાન્ત સમારોહમાં ઉપસ્થિત રાહયા હતા અને ત્રણ વર્ષપૂર્ણ કરીને આગળ અભ્યાસ અર્થે જતા વિધ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. ખાસ કરીને ગુજરાતના યુવાનો ને સૈન્યમાં જોડાવા માટે અપીલ કરી હતી. કેડેટ્સની ત્રણ વર્ષ સુધીની સખત તાલીમ પૂર્ણ કરવા માટે તેમજ હવે દેશની સેવા કરવા માટે તમામ કેડેટને અભિનંદન આપ્યા હતા. આ સમારોહ માં કુલ 11 એનસીસી કેન્દ્રોના 521 કેડેટ્સ ને સી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.