Skip to main content
Settings Settings for Dark

વિસનગરઃ સિનિયર સીટીઝન દ્વારા છેલ્લા 15 વર્ષથી ચૈત્ર માસમાં લીમડાના મોરના રસનું નિઃશુલ્ક વિતરણ

Live TV

X
  • વિસનગરઃ સિનિયર સીટીઝન દ્વારા છેલ્લા 15 વર્ષથી ચૈત્ર માસમાં લીમડાના મોરના રસનું નિઃશુલ્ક વિતરણ

    ચૈત્ર માસ માં લીમડાના રસનું સેવન ખૂબ જ ગુણકારી મનાય છે. ત્યારે લોકો ના સ્વાસ્થ્ય ની ચિંતા કરી વિસનગર ના વયસ્થ નાગરિકો દ્વારા છેલ્લા 15 વર્ષથી પોપટ મહારાજના મંદિર ખાતે ચૈત્ર માસમાં સવારે 5 વાગ્યા થી 8 વાગયા સુધી લીમડાના મોરના રસનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.

    લોકો વહેલી સવાર થી જ મંદિરમાં આ રસ પીવા માટે લાઈન લગાવી દે છે. યુવાનો, મહિલાઓ, અને બાળકો પણ આ રસ પીવાનું ભૂલતા નથી. લોકો પોતાના પરિવાર માટે પણ આ લીમડાના રસને ઘરે લઈ જાય છે. હાલના વર્તમાન સમયમાં લોકો ડાયાબીટીસ, બીપી જેવી બીમારીઓથી હેરાન થતા હોય છે. ત્યારે આવી દાદીમા નું ઓસડીયું લેવાથી બીમારીઓને કન્ટ્રોલ કરી શકાય છે.

    વિસનગર ખાતે ચાલી રહેલી આ પ્રકારની સ્વાસ્થ્ય વર્ધક સેવામાં 25 જેટલા સિનિયર સીટીઝન પોતાની સેવા આપી રહ્યા છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

    લીમડાને આયુર્વેદમાં નીમ નારાયણ કહેવામાં આવે છે. તે શુદ્ધ હવાથી લઇને કેન્સર જેવા અસાધ્ય રોગોમાં ઘણો લાભદાયક છે. અનેક વિદ્ધવાન લોકોને અનુભવ છે, કે જે રોગ કોઈ બીજી આયુર્વેદ દવાથી સારા ન થઇ શક્યા હોય, તેવા રોગ લીમડાના ચરણોમાં જવાથી સારા થઇ શક્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
apply