ભારત Vs ન્યૂઝીલેન્ડઃ વરસાદ બન્યો વિઘ્ન, આજે ફરી શરૂ થશે મેચ
Live TV
-
જ્યાંથી અટકી હતી ત્યાંથી જ મેચ શરૂ કરાશે, વરસાદ વિઘ્ન બનશે તો ભારતીય ટીમ ફાઈનલ માટે ક્વોલીફાય થશે
ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડની સેમિફાઈનલમાં મંગળવારે ન્યૂઝીલેન્ડે 46 ઑવરમાં 5 વિકેટ ગુમાવી 211 બનાવ્યા છે. ત્યારબાદ વરસાદ શરૂ થતા મેચ રોકવામાં આવી હતી...વર્લ્ડકપ ક્રિકેટમાં માન્ચેસ્ટર ખાતે , ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમીફાઇનલમાં વરસાદના કારણે ન્યુઝીલેન્ડનો દાવ પવિકેટ 211 રને અટક્યો હતો. જે મેચ આજે 46.1 ઓવરથી આગળ વધશે. આજે પણ જો વરસાદનું વિઘ્ન ચાલુ રહેશેતો સૌથી વધુ પોઇન્ટ હોવાના પગલે ભારતીય ટીમ ફાઇનલ મેચ માટે ક્વોલીફાય થશે. ન્યુઝીલેન્ડ ટોસ જીતીને પ્રથમ બેટીંગ લીધી હતી. કેપ્ટન કેન વિલીયમસને સૌથી વધુ 67 રન બનાવ્યાં હતા. જ્યારે ટેલર 67 રને અણનમ રહ્યો છે. ભારત તરફથી ત્રણ મીડીયમ પેસર અને બે સ્પિનસેએ એક- એક વિકેટો ઝડપી છે.