રાજકોટ ટી-20 - ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે આપી હાર
Live TV
-
ત્રણ મેચની સીરીઝમાં 1-1 નું સંતુલન જાળવી રાખ્યું
રોહિત શર્માની ધમાકેદાર 85 રનની રમતમાં ભારતે રાજકોટ ટી-20 માં બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવી ત્રણ મેચની સીરીઝમાં 1-1 નું સંતુલન જાળવી રાખ્યું છે. સીરીઝની ત્રીજી અને અંતિમ મેચ રવિવારે નાગપુરમાં રમાશે. બાંગ્લાદેશ દ્વારા અપાયેલા 154 રનનો પીછો કરીને ભારતે રોહિત શર્મા અને શીખર ધવનની જોડીના બળ પર ધુંઆધાર શરૂઆત કરી હતી. રોહિત શર્માએ શાનદાર અંદાજમાં 85 રન ફટકાર્યા હતા. શિખર ધવન 31 રન પર ક્લિન બોલ્ડ થયા હતા. રોહિત શર્મા 85 રન બનાવીને પેવેલિયન પહોંચ્યા હતા પરંતુ ત્યાર પછી ભારતે પોતાની એક પણ વિકેટ પડવા ન દીધી અને ટીમે 15 ઓવર ચાર બોલમાં 154 રન બનાવી રમતને આઠ વિકેટથી પોતાના નામે કરી દીધી હતી