બેંક કરજદારોને રાહત મળે તે માટે ત્રણ સભ્યોની વિશેષજ્ઞ સમિતિનું ગઠન
Live TV
-
સરકારે બેંકો પાસેથી ઋણ લેતા ગ્રાહકોને રાહત આપવાના મુદ્દા પર વિચાર કરવા માટે ત્રણ સભ્યોની વિશેષજ્ઞ સમિતિની રચના કરી છે
સરાકરે બેંકો પાસેથી ઋણ લેતા ગ્રાહકોને રાહત આપવાના મૂલ્યાંકન માટે ત્રણ સભ્યોની વિશેષજ્ઞ સમિતિની રચના કરી છે...પૂર્વ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક રાજીવ મહર્ષિની અધ્યક્ષતાવાળી આ સમિતિ કરજદારોને વ્યાજ આપવાની રાહત આપવા અને કોવિડ-19ના કારણ ઋણ સ્થગનથી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને નાણાકીય સ્થિરતા પર પડનારા પ્રભાવનું મૂલ્યાંકન કરશે
તેઓ આ સંબંધમાં સમાજના અલગ અલગ વર્ગોને થતી નાણાકીય મુશ્કેલીઓ ઓછી કરવાનો ઉપાય પણ આપશે..સમિતિ એક સપ્તાહની અંદર પોતાનો રિપોર્ટ સોંપશે..આ પગલું વ્યાજમાં છૂટની રાહત માગવા પર અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં પ્રકટ કરવામાં આવેલી વિભિન્ન ચિંતાઓ પછી ઉઠાવવામાં આવ્યું છે..
