ભારત સરકારે વર્લ્ડ બેંક સાથે 75 કરોડ ડોલરનો કર્યો કરાર
Live TV
-
કોરોના મહામારીથી પ્રભાવીત લધુ અને મધ્યમ ઉદ્યોગના ઉદ્યમીઓને મદદ પહોચાડવા માટે ભારત સરકારે વિશ્વ બેંક સાથે 75 કરોડ ડોલરની સમજૂતી કરી છે.
આ નાણાકીય સમજૂતી, નાણા મંત્રાલયે વિશ્વ બેંક સાથે કર્યો છે જેનો ઉપયોગ MSMEને નાણા ઉપલબ્ધ કરવા કરવામાં આવશે. જેનાથી દેશમાં લગભગ 15 લાખ ઉદ્યમોને નાણાની મુશ્કેલી દૂર થશે. સમજુતી અનુસાર આ રકમનો ઉપયોગ MSME સેકટરને લોન આપનાર NVFC ને તરલતા ઉપલબ્ધ કરાવવા કરવામાં આવશે. આ રકમથી, MSME સેકટરથી ક્રેડિટ સુવિધામાં વધારો થશે.
ગેર બેન્કીંગ નાણાકીય સુવિધાઓ સંસ્થાઓ, લધુ બેન્કોને આર.બી.આઇ. દ્વારા સસ્તી લોન આપવામાં મદદ મળશે. ઉદ્યમીઓને નાણાકીય તકનીક અને ડીજીટલ પેમેન્ટને ઉત્તેજન આપવા ,આ રકમ નો ઉપયોગ કરવા માં આવશે. કોરોનાથી લડવા વિશ્વબેંકે ભારતને બે કરોડ ડોલરની તાકીદની મદદ આપી ચુકયું છે. તેમા એપ્રિલ- માસમાં સ્વાસ્થ્ય માટે એક અરબની રકમ અને મે માસમાં ગરીબોના મદદ માટે એક અરબ રકમ ઉપલબ્ધ કરાવી છે.
