સુરતના ડાયમંડ બુર્સમાં 135 હીરા વેપારીએ આજથી વેપારના શ્રીગણેશ કર્યા
Live TV
-
સુરતના ડાયમંડ બુર્સમાં 135 હીરા વેપારીએ આજથી વેપારના શ્રીગણેશ કર્યા છે. 135 વેપારી પૈકી 26 વેપારી એવા છે જેઓ મુંબઈથી કાયમ માટે સુરતમાં શિફ્ટ થયા છે.17 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડાયમંડ બ્રુસનું ઉદ્દઘાટન કરવાના છે. ડાયમંડ બુર્સની મીડિયા કમિટીના કન્વીનર દિનેશ નાવડિયા અનુસાર, દશેરાના દિવસ 983 ઓફિસમાં કુંભઘડાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ત્યારથી દરરોજ 20થી 25 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે. મહત્વનું છે કે, પાંચ ડિસેમ્બર 2017ના સુરત ડાયમંડ બુર્સનું બાંધકામ શરૂ થયું હતું. ડાયમંડ બુર્સમાં 15 માળની 9 બિલ્ડિંગ આવેલી છે, જેમાં નાની-મોટી મળીને કુલ 4 હજાર 200 ઓફિસ આવેલી છે.
