GST બેઠક બાદ નાણામંત્રી નીતિન પટેલની પ્રતિક્રિયા, GST ઘટતા રાજ્યને નુકશાન
Live TV
-
જીએસટીની બેઠક બાદ નાણામંત્રી નીતિન પટેલે કહયું ગુજરાતને જીએસટી કાઉન્સીલ પાસેથી વળતર પેટે રૂપિયા 12 હજાર કરોડ લેવાના બાકી.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને રાજ્યકક્ષાના મંત્રી અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં સમગ્ર દેશના તમામ રાજ્યોનાં નાણામંત્રીઓ સાથે જીએસટી કાઉન્સીલની વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ યોજવામાં આવી હતી.
જેમાં દરેક રાજ્યએ જીએસટી કાઉન્સીલ પાસેથી વળતર પેટે કેટલી રકમ લેવાની નીકળે છે તે આ મીટિંગનો મુખ્ય એજન્ડા હતો. આ અંગે વધારે માહિતી આપતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતને જીએસટી કાઉન્સીલ પાસેથી 12 હજાર કરોડ રૂપિયા વળતર પેટે લેવાના છે.
સમગ્ર દેશના તમામ રાજ્યોના 3 લાખ કરોડ રૂપિયા છે. જોકે ભારત સરકારની આવક ઘટતાં હાલ જીએસટી કાઉન્સીલ આ રકમ ચુકવે તેવી શક્યતાઓ ઓછી છે. તેથી આ બેઠકમાં તમામ રાજ્યોનાં નાણામંત્રીઓ સાથે આ મુદ્દે ચર્ચા થઈ હતી.
