અંબાજી પંથકમાં ધુમ્મસછાયા વાતાવરણથી આહ્લાદક દ્રશ્યો સર્જાયા
Live TV
-
છોટાઉદેપુરમાં વરસાદથી કપાસના પાકને થયું નુકસાન..
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટાની સાથે સાથે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ અંબાજીમાં ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પહાડોવાળા અંબાજી પંથકમાં ધુમ્મસછાયું વાતાવરણ સર્જાતા આહ્લાદક દ્રશ્યો સર્જાયા હતા. અંબાજીની આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી, તો અંબાજી મંદિર પણ ધુમ્મસમાં ઢંકાઈ ગયું હતું. જો કે અહીં આવતા પ્રવાસીઓ વાતાવરણની આહલાદકતાને માણી રહ્યા છે.
