અમદાવાદના નારોલ વિસ્તારમાં કબૂતરોના મોત બાદ ભોપાલ મોકલાવેલ સેમ્પલ નેગેટિવ
Live TV
-
અમદાવાદના નારોલ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી કબૂતરોના મોત થતા પશુપાલન વિભાગે કબૂતરોના બે સેમ્પલ ભોપાલ લેબમાં તપાસ અર્થે મોકલ્યા હતા..જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે..કબૂતરના મોતને પગલે બર્ડ ફ્લૂની દહેશત હતી..તે હવે દૂર થઈ છે..રિપોર્ટ નેગેટિવ આવતા પક્ષીઓનું પોસ્ટમોર્ટમ કરાશે અને સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવશે..મહત્વનું છે કે નારોલ વિસ્તારમાં આકૃતિ ટાઉનશિપ, ધર્મકુંજ સોસાયટી સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં કબૂતરોનાં મોત થયા હતા. પશુપાલન વિભાગને જાણ થતા ઘટનાસ્થળે સેનેટાઈઝ અને ફોગિંગની કામગીરી હાથ ધરાઈ હતી.
