અમદાવાદના લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ ખાતે યોજાયું પ્રદર્શન
Live TV
-
અમદાવાદના લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ ખાતે ભારતીય બંધારણ અને આઝાદીની 75 મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મ્યુઝિયમમાં ભારતીય કલા કારીગરીના વિવિધ સેમિનાર અને પ્રદર્શનનું આયોજન કરાયું છે.
આ પ્રદર્શનમાં દેશભરના કારીગરો દ્વારા બનાવવામાં આવેલી 75 જેટલી હાથ-સાળના કાપડની કલાકૃતિઓને પ્રદર્શિત કરવામાં આવી છે. તેના પર અલગ અલગ 75 જેટલા વિષયો પર ચિત્રો રજૂ કરાયા છે. જે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં, દર્શાવવામાં આવેલી કળાને પ્રદર્શિત કરે છે. સાથે-સાથે રાષ્ટ્ર નિર્માણમાં કારીગરોએ આપેલા યોગદાનની યાદોને પણ તે તાજી કરે છે.
નાગરિકો 18મી ફેબ્રુઆરી એટલે કે આવતીકાલ સુધી આ પ્રદર્શન નિહાળી શકશે.
