અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે બુધવારે યોજાઇ યોગશિબિર
Live TV
-
યોગગુરુ સ્વામી આધ્યાત્મનંદ દ્વારા વિવિધ પ્રકારના યોગાસનોની તાલીમ આપવામાં આવી હતી.
તન અને મનને સ્વસ્થ રાખવાનો એકમાત્ર માર્ગ એટલે યોગ. ત્યારે યોગનું મહત્વ સમજાવવાના હેતુથી અમદાવાદ સ્થિત શિવાનંદ આશ્રમ ખાતે બુધવારે યોગશિબિરનું આયોજન કરાયું હતું. જેમાં યોગગુરુ સ્વામી આધ્યાત્મનંદ દ્વારા વિવિધ પ્રકારના યોગાસનોની તાલીમ આપવામાં આવી હતી. આ યોગશિબિરમાં યુવક-યુવતીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ યોગસાધના કરી હતી. તબીબો અને એન્જિનિયરો સહિતના યોગરસિકો અવનવા યોગાસનો કરી પ્રફુલ્લિત બન્યા હતા. સ્વામી આધ્યાત્મનંદજીએ યોગાસનની તાલીમ આપતા આપતા તેના લાભ પણ વર્ણવ્યા હતા.
